ઉત્તરપ્રદેશના સીતાપુરમાં 6નાં મોત: યુવકે માતાને મારી ગોળી, પત્નીની હથોડીથી કરી હત્યા અને બાળકોને છત પરથી ફેંક્યા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11052024_045958_Suicide 225.webp)
- 11 May, 2024
યુપીના સીતાપુરમાં એક જ પરિવારના 6 લોકોના મોતના પગલે ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ યુવકે માતા, પત્ની અને બાળકોની હત્યા કરી છે. આરોપીએ પોતાની માતાની જ ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે પત્નીની હથોડી મારીને હત્યા કરી હતી. ઘટના મથુરાના પલ્હાપુર ગામની છે.
આટલું ઓછું હોય તેમ આરોપીએ 3 બાળકોને પણ છત પરથી નીચે ફેંકી દીધા હતા. તેના પગલે તમામ બાળકોનું મૃત્યું નીપજ્યું છે. પરિવારના પાંચ લોકોની હત્યા પછી આરોપીએ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. શરૂઆતના રિપોર્ટ મુજબ આરોપી નશો કરતો હતો અને માનસિક રીતે હેરાન રહેતો હતો.
પાલ્હાપુરમાં ખેડૂત વિરેન્દ્ર સિંહના પુત્ર અનુરાગ સિંહે ગત રાતે આ હત્યાકાંડને અજામ આપ્યો હતો. માનસિક સંતુલન ગુમાવી બેઠેલા અનુરાગ સિંહે માતા સાવિત્રી દેવી, પત્ની વિરેન્દ્ર સિંહ, પત્ની પ્રિયંકા સિંહ, છોકરી આષ્વી, પુત્ર અનુરાગ અને પુત્રી આરનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે આદવિકે ઈલાજ દરમિયાન ટ્રોમા સેન્ટરમાં જ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને અંજામ આપનાર અનુરાગ સિંહે પોતાની પણ આત્મહત્યા કરી લીધી હતી. સવારે ઘટનાની માહિતી મળતા જ સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ